મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ થોડા દિવસ અગાઉ જશદણમાં કોળી સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કુવરજી બાવળિયાએ પણ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન બોટાદ ભાજપના એક સ્થાનિક નેતા પ્રભાત યાદવે વોટ્સએપના મેસેજને ટાંકીને ગઢડાના ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર અંગે ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Advertisement


 

 

 

 

 

વીડિયોમાં પ્રભાત યાદવ કોઈ વ્યક્તિના મેસેજને ટાંકીને કહે છે કે અમારા ઘરાસભ્ય ખોવાઈ ગયા છે ક્યાય મળે તો કહેજો. આ ઉપરણ તેમણે ગુજરાતની રાજનીતીમાં કોળી સમાજની ભૂમિકા અંગેની વાતો કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે કોળી સમાજનો કોઈ વ્યક્તિ કલેકટરની જોડે બેસે એ અન્ય સમાજથી સહન થતું નથી. જેથી ૨૦૨૨માં કોઈ ભૂલ ન થાય અને સમાજને આગળ લાવો.