મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ હાલ ગુજરાતમાં ભાજપના કાર્યકરોમાં જોશભરવા પ્રવાસે નીકળ્યા છે. તેમણે આ દરમિયાન હમણાં જ રાજકોટ અને આજે જામનગરની મુલાકાત લીધી છે. પાટીલ જ્યાં પણ ગયા ત્યાં તેમણે કાર્યકરોને સાચવવાની વાતને મોખરે અને નેતાઓને તેમના પછી મુક્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જામનગરમાં પણ આ જ બાબતને મહામ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે કાર્યકરોનું સન્માન જાળવવું જ પડશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જીત્યા પછી હવા ભરાઈ ગઈ હશે તો તેમની આપણે હવા કાઢી નાખીશું. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભૂલતા નહીં તેમ કહી કાર્યકર્તાઓ સાથે યોગ્ય વ્યવહાર કરવાનો આડકતરી રીતે કડક ભાષામાં નેતાઓને ઈશારો કરી દીધો હતો.

જામનગરમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું છે, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 12 કરોડના વિકાસ કાર્યો જેવા કે, કાલાવડ તાલુકા પંચાયત ભવન, તલાટી કર્મચારી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પછી તેમણે જામનગરમાં પદ્મ પુરસ્કાર અને ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિશિષ્ટ એવોર્ડ કાર્ય કરનારાઓને સન્માનિત કર્યા હતા. તેમણે આ કાર્યક્રમ બાદ ઓસવાલ સેન્ટરના મેદાનમાં ભાજપના સભ્યો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisement


 

 

 

 

 

કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાઇ ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યકરોનું સન્માન જાળવવું પડશે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલી ન જતાં. આ ઉપરાંત તેમણે વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું અને તેના માટે તમામે કામે લાગી જવાનું છે. હવે તમે સચિવાલયમાં જાઓ છો, ત્યારે આજ મંત્રીઓ જે અહીંયા બેઠા છે એ જ મંત્રીઓ તમને આવકાર આપે છે. તમારી વાત સાંભળે છે, તમને ચા-પાણીનું પૂછે છે, પહેલા નહોતા પૂછતા. હવે તો જમવાનું પણ પૂછશે. નહીં જમાડે તો પણ જમાડવું પડશે, મારૂં બધા પર ધ્યાન છે.

તેમણે ઉમેર્યું કે, મિત્રો, સરકાર બલદાય, મંત્રીઓ બદલાય. મંત્રીઓ એટલે બદલાય કે નવી કેડર ઉભી કરાય ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. આવનારા દિવસોમાં નવું લોહી આવે, ભારતીય જનતા પાર્ટીની ધુરા સંભાળવા માટે સક્ષમ બને. ઉમેદવારો જીતી જતા હોય છે, ત્યારે કેટલાકને હવા પણ ભરાઇ જતી હોય છે, કાર્યકર્તાઓને ભૂલી જતાં હોય છે પણ હવે તે હવા કાઢી નાખવામાં આવશે. કાર્યકર્તાનું કોઇપણ મંત્રી અપમાન કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં. કાર્યકરનું માન જળવાવવું જોઈએ.