મેરાયૂઝ નેટવર્ક.રાજકોટઃ ગઢડા ગોપીનાથ મંદિરના એસ.પી.સ્વામી ચર્ચામાં આવ્યા છે. હાલ ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી સહિત ઘનશ્યામ શાસ્ત્રી અને પાર્ષદ મોલિક ભગતની પણ અટકાયત કરવામાં આવી છે.

વર્ષ 2007માં મંદિરની દિવાલના મામલે એસપી સ્વામી અને કોઠારી સ્વામી વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં પોલીસે તેમની અટકાયત કરી હતી.  મળતી માહિતી પ્રમાણે, 2007માં ગઢડા ગોપીનાથજી મંદિર તેમજ અક્ષર પુરસોત્તમ મંદિરના દીવાલ મામલે થયેલ વિવાદમાં 307 હેઠળ એસ.પી.સ્વામી તેમજ ઘનશ્યામ શાસ્ત્રી સ્વામી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ સિવાય મૌલિક ભગત ઉપર પણ દિવાળી સમયે મંદિરની દુકાનો બાબતે થયેલ ઝગડાને લઈ ભૂતકાળમાં પણ ગુનો દાખલ થયો હતો.