મેરાન્યૂઝ નેટવર્ક.છત્તીસગઢઃ છત્તીસગઢના નારાયણપુરથી એક મોટી નક્સલી હુમલાની માહિતી મળી રહી છે. જવાનોથી ભરેલી બસને નક્સલીઓએ ઉડાવી દીધી છે. આ ઘટનામાં 3 જવાનો શહીદ થઈ ગયા છે. જ્યારે અડધા ડઝન જવાન ગંભીર રુપે ઈજાગ્રસ્ત છે. જાણકારી મુજબ, તમામ જવાન ડીઆરજીના હોવાનું કહેવાય છે. જોકે પોલીસે હજુ આ મામલે કાંઈ કહેવાનું ટાળ્યું છે.

બસમાં આ બ્લાસ્ટ ઘૌડાઈ અને પલ્લેનારના વચ્ચે થયો છે. જ્યાં આ બ્લાસ્ટ થયો છે, ત્યાં ગીચ જંગલ છે. ખબર એ પણ મળી રહી છે કે બ્લાસ્ટના સમયે 24 જવાનો બસમાં સવાર હતા. પોલીસના બાકી અધિકારીઓ મુજબ અત્યાર સુધી 3 જવાનોના શહીદ થવાની જાણકારી મળી રહી છે, ગંભીર રીતે ઘાયલોની સંખ્યા જોતા શહીદોની સંખ્યા વધે તેમ લાગી રહ્યું છે. તમામ જવાનો એક ઓપરેશનથી પાછા ફરી રહ્યા હતા.