મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ અરવલ્લી જીલ્લામાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે ખાખી વર્દી પણ લાચારી અનુભવી રહી હોય તેમ બેખોફ બની કાયદો હાથમાં લેતા અચકાતા નથી. પોલીસ કર્મચારીઓને જ માર પડતી હોય તો સામાન્ય પ્રજાજનોને આવા લુખ્ખા તત્વો સામે જોવું પણ ભારે પડી શકે છે. અરવલ્લી જીલ્લામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો થવાના બનાવમાં વધારો થતા એકલ દોકલ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં જવાનું પણ બંધ કરી દે તો નવાઈ નહીં...! પ્રજાજનોની સલામતી રાખનાર ખાખી વર્દી જ અસલામતી અનુભવી રહી હોય તેવી ઘટના બનતા ચકચાર મચી હતી.

શામળાજી પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ રવિવારે બપોરના સુમારે સરકારી પોલીસ વાહન સાથે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ સફેદ ઈકો કારને અટકાવવા હાથથી ઈશારો કરતા ઈકો કારના ચાલકે કાર ભગાવી દીધી હતી. ત્રણ કોન્સ્ટેબલે સરકારી વાહન સાથે પીછો કરતા ઈકો કારના ચાલકે કાર અટકાવી બંને પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી મારઝુડ કરી પથ્થરોથી હુમલો કરી ફરાર થઈ જતા ચકચાર મચી હતી.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતા હેડ કોન્સ્ટેબલ ૧) પ્રવીણભાઈ નાથાભાઈ (બ.નં-૧૩૪),૨)નરેન્દ્રસિંહ કિસ્મતસિંહ (બ.નં-૪૬૨) અને ૩)મહેશ કુમાર બાબુભાઇ (બ.નં-૨૫૭) રવિવારે બપોરે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

રાજસ્થાન તરફતી આવતી શંકાસ્પદ ઈકો કારને અટકવાવા હાથથી ઈશારો કરતા ઈકો કારના ચાલકે ગાડી ઉભી નહીં રાખતા ભગાવી મુકી હતી. ત્રણે પોલીસકર્મીઓએ સરકારી વાહન સાથે પીછો કરતા ઈકો કારના ચાલકે આગળ જઈ અટકાવી ઈકો કારના ચાલકને ગાડી ઉભી નહીં રાખવા અંગે પુછાતા ૪ શખ્શો ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા અને પોલીસકર્મીઓ પર તૂટી પડતા અને લાકડી અને પથ્થર વડે હુમલો કરી ગડદા પાટુનો માર મારી યુનિફોર્મ ફાડી નાખતા અને ઝપાઝપી કરતા ભારે ચકચાર મચી હતી. પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી ચારેય શખ્શો ફરાર થઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓ પર હુમલો થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ્ડ હેડ.કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નાથાભાઈ( બક્કલ.નં-૧૩૪) ની ફરિયાદ ના આધારે જગદીશ જીવાભાઈ પારઘી અને રસિકભાઈ જીવાભાઈ પારઘી તથા બે અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૩૨૩,૩૩૭,૧૮૬,૩૩૨,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.